જમ્મુ અને કાશ્મીરમાં બુલડોઝર કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં બુલડોઝર કાર્યવાહી , ઑક્ટોબર 2024 થી અત્યાર સુધીમાં લગભગ 1400 ગેરકાયદેસર અતિક્રમણ હટાવ્યા

જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારમાં બુલડોઝરની કાર્યવાહી ચાલુ છે. બે વર્ષમાં રાજ્યમાં અઢી હજાર જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. હકીકતમાં, ઓક્ટોબર 2024 માં જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC) સરકારની રચના કરવામાં આવી હતી. ત્યારથી, કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેણાંક સહિત કુલ 1,425 ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમાં આ લેખિત માહિતી આપી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ધારાસભ્ય મીર મોહમ્મદ ફયાઝના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જમ્મુમાં પત્રકાર અરફાઝ અહેમદ ડાંગનું ઘર પણ તોડી પાડવામાં આવેલી મિલકતોમાં સામેલ છે.