ભારતીય નૌકાદળનું જહાજ INS સહ્યાદ્રી ઉત્તર પ્રશાંત મહાસાગરમાં ગુઆમ પહોંચી ગયું છે
. અહીં ભારતીય નૌકાદળનું આ જહાજ બહુરાષ્ટ્રીય નૌકા કવાયત ‘માલાબાર-2025’માં ભાગ લેશે. ભારતીય નૌકાદળ અહીં સબમરીન વિરોધી યુદ્ધ અને ફ્લાઈંગ ઓપરેશન્સ જેવી મહત્વપૂર્ણ નૌકા કવાયત કરશે. INS સહ્યાદ્રી એક ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ છે. આ જહાજ સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે.



