જેસલમેર બસ બળતા ૨૦ લોકો ખાખ
ન્યુઝડે નેટવર્ક, રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ જ્યારે જોધપુર તરફ જઈ રહેલી AC સ્લીપર બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા બળીને ભસ્મ થઈ ગયા. આ દુર્ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ જેસલમેર-જોધપુર હાઇવે પર થૈયાત ગામ નજીક બની હતી.
57 મુસાફરોથી ભરેલી આ બસ જ્યારે જેસલમેરથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઈવરે બસને રસ્તાની બાજુમાં ઉભી રાખી હતી, પરંતુ સેકન્ડોમાં જ આગની લાટો આખી બસને ઘેરી વળી હતી. જાનમાલના નુકસાનની આ દુઃખદ ઘટનામાં 20 મુસાફરોના મોત નિપજ્યા હતા જેમાં 79 વર્ષીય હુસૈન ખાન અને સ્થાનિક પત્રકાર રાજેન્દ્ર સિંહ ચૌહાણનો પણ સમાવેશ થાય છે. રાજેન્દ્ર ચૌહાણ પોખરણમાં મેડિકલ સ્ટોરના ઉદ્ઘાટન માટે જઈ રહ્યા હતા.
આગની ભયાનકતાથી 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. કેટલાક મુસાફરો 70 ટકા સુધી દાઝી ગયા હતા. ઘાયલોને પ્રથમ જવાહર હોસ્પિટલ જેસલમેરમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે 16 ગંભીર ઘાયલોને જોધપુર મોકલવામાં આવ્યા હતા. આ માટે નેશનલ હાઇવે 125 પર ગ્રીન કોરિડોર બનાવી આઠ એમ્બ્યુલન્સને પોલીસ એસ્કોર્ટ સાથે મોકલવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પ્રતાપ સિંહે પુષ્ટિ કરી હતી કે બસ સંપૂર્ણપણે ધગધગીને બળી ગઈ હતી અને મોટાભાગના મૃતદેહો પૂરા કોલસા બની ગયા હતા જેથી તેમને ઓળખવું અશક્ય બની ગયું હતું. DNA અને ફોરેન્સિક ટીમોને જોધપુરથી બોલાવવામાં આવી હતી જેથી મૃતકોને ઓળખી શકાય. કલેક્ટરે મૃતકોના પરિવારોને જિલ્લા વહીવટ દ્વારા સ્થાપિત હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, “જેસલમેરમાં થયેલી આ દુર્ઘટનામાં જાનહાનિથી હું અત્યંત દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.” PM મોદીએ PMNRF માંથી દરેક મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી.
जैसलमेर में बस में 20
लोग झुलसे
राजस्थान के जैसलमेर में मंगलवार दोपहर भीषण हादसा हो गया, जब जोधपुर जा रही एसी स्लीपर बस में आग लगने से बस जलकर खाक हो गई। यह हादसा दोपहर करीब साढ़े तीन बजे जैसलमेर-जोधपुर हाईवे पर थैयाट गांव के पास हुआ।
57 यात्रियों से भरी बस जैसलमेर से जोधपुर जा रही थी, इसी दौरान ड्राइवर ने अचानक बस को सड़क के किनारे खड़ा कर दिया, लेकिन कुछ ही सेकंड में आग की लपटों ने बस को घेर लिया. जनमल की दुखद घटना में 79 वर्षीय हुसैन खान और स्थानीय पत्रकार राजेंद्र सिंह चौहान सहित 20 यात्रियों की मौत हो गई। राजेंद्र चौहान पोखरण में मेडिकल स्टोर के उद्घाटन के लिए जा रहे थे.
आग की भयावहता के कारण 15 यात्री गंभीर रूप से घायल हो गए, जिनमें चार महिलाएं और दो बच्चे भी शामिल हैं। कुछ यात्री तो 70 प्रतिशत तक स्तब्ध रह गये। घायलों को पहले जवाहर अस्पताल जैसलमेर ले जाया गया और बाद में 16 गंभीर घायलों को आगे के इलाज के लिए जोधपुर भेजा गया। इसके लिए नेशनल हाईवे 125 पर ग्रीन कॉरिडोर बनाकर आठ एंबुलेंस को पुलिस एस्कॉर्ट के साथ भेजा गया.
जिला कलेक्टर प्रताप सिंह ने पुष्टि की कि बस पूरी तरह से जल गई थी और अधिकांश शव पूरी तरह से कोयले के हो गए थे, इसलिए उनकी पहचान करना असंभव था। मृतकों की पहचान के लिए जोधपुर से डीएनए और फॉरेंसिक टीम बुलाई गई. कलेक्टर ने मृतकों के परिजनों से जिला प्रशासन द्वारा स्थापित हेल्पलाइन पर संपर्क करने की अपील की है.
प्रधानमंत्री नरेंद्र मोदी ने हादसे पर दुख जताते हुए कहा, “जैसलमेर में हुए हादसे में लोगों की मौत से मुझे गहरा दुख हुआ है। इस कठिन समय में मेरी संवेदनाएं पीड़ित परिवारों के साथ हैं। मैं घायलों के जल्द स्वास्थ्य होने की प्रार्थना करता हूं।” पीएम मोदी ने प्रत्येक मृतक के परिवार को पीएमएनआरएफ से 2 लाख रुपये और घायलों को 50,000 रुपये की वित्तीय सहायता की भी घोषणा की।

