“વર્ષ નાં અંતિમ દિવસે શહેર નાં ડમરુ સર્કલે હત્યા”

ન્યુઝ ડે નેટવર્ક.
2022 નાં અંતિમ દિવસે અમદાવાદ શહેર નાં એક ચાણક્ય પૂરી ડમરુ સર્કલ ખાતે હત્યા નો બનાવ બન્યો હતો.રાજેન્દ્ર નવલ નમક 25 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ સેકટર 3 ડમરુ સર્કલ પાસેથી રાજેન્દ્ર નવલ ને ચાર ઈસમો ઉપાડીને સોલા રેલવે ટ્રેક પર લઈ ગયા હતા જ્યાં તેની પત્થર મારીને હત્યા કરવામાં આવી હતી.ગુનેગારોએ હત્યા કર્યા બાદ લાશ ને રેલવે ટ્રેક પાસે જ ફેંકી દીધી હતી.આજે સવારે પોલીસ ને જાણ થતાં આગળ ની તપાસ શરૂ કરવામાં આવી છે.