બાંગ્લાદેશ માં કટ્ટરપંથ વચ્ચે મહિલાઓ માટે જોખમભરી સ્થિતિ
ન્યુઝડે નેટવર્ક ,
જુલાઈ 2024માં વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ ઝડપથી ઈસ્લામિક કટ્ટરવાદ તરફ આગળ વધી રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં મહિલાઓની ભૂમિકા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કટ્ટરવાદી સંગઠનોનો પ્રભાવ વધી રહ્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર પર તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ કારણે બાંગ્લાદેશમાં પણ લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર વધ્યા છે, પરંતુ સરકાર તેના પર મૌન છે. સ્થિતિ એટલી ખરાબ છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અત્યંત અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓને હવે જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરવાદી સંગઠનોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જમાત-એ-ઈસ્લામીના નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે મહિલાઓએ ઘર અને પરિવાર પર વધુ ધ્યાન આપવું જોઈએ અને કાર્યસ્થળો સુધી મર્યાદિત રહેવું જોઈએ. વધુમાં, મહિલા ખેલાડીઓ સામે હુમલા અને ઉત્પીડનના બનાવો વધુ સામાન્ય બની રહ્યા છે.



