અમેરિકા ના ટેરિફ વોર સામે ઝૂકવાની ભારત ની સ્પષ્ટ ના
ન્યુઝડે નેટવર્ક
અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે, જેનાથી કુલ આયાત ડ્યુટી 50% થી વધુ થઈ ગઈ છે. રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે રશિયન એજન્સી TASS સાથેની વાતચીતમાં એક નિવેદન આપ્યું હતું કે ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે સસ્તું અને સારું તેલ જ્યાંથી મળશે ત્યાંથી ખરીદશે.
ભારત તેલની ખરીદી કોઈ રાજકીય દબાણને કારણે નહીં પરંતુ વ્યાપારી કારણોસર છે. વિનય કુમારે કહ્યું, “જો વેપારની શરતો યોગ્ય હશે, તો ભારતીય કંપનીઓ ત્યાંથી તેલ ખરીદશે જ્યાંથી તેમને શ્રેષ્ઠ સોદો મળશે. “સાથે જ તેમનું કહેવું છે કે “સરકાર દેશના હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે અને કોઈ સમાધાન કરશે નહીં.”




There are 3 comments
Mahan Bharat
We love india
Modiji best PM in the world 🌎